Section outline
- Gujarati
Gujarati
- Text
Text
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 18,601 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 590 લોકોના મોત થયા છે. જોકે 3252 લોકો ઠીક થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સંક્રમિતો છે, જ્યારે ગોવા કોરોના મુક્ત થઈ ગયું છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં પરિવાર સાથે રહેતી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાનો પતિ રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતાં અંડર સેક્રેટરી લેવલના એક આઈએએસ અધિકારીની ઓફિસમાં કામ કરે છે. જેને પગલે અધિકારીએ સાવધાનીના ભાગરૂપે ખુદને ક્વોરેન્ટાઈન કરી લીધો છે. મહિલાને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- Interactive Content
- MCQ Questions
- True or False
- Drag the Words
- Fill in the Blanks
- Source